સૂર્યાસ્ત એક નિત્ય પ્રતિક્રિયા [ image 164.jpg] આમ, તો આજનો માનવી પોતાની અતિવ્યસ્ત રોજબરોજની જીંદગીમાં ઘણી ક્રિયાઓ તેમજ ઘટનાઓ નું નિરીક્ષણ કરી પોતાનો એક દષ્ટિકોણ વિકસાવતો હોય છે.અમુક કુદરતી ક્રિયાઓ નિત્ય થતી હોય છે જેમ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય અને સૂર્યાસ્ત એક પ્રાકૃતિક સૌંદર્ય રૂપી તેમજ અવર્ણનીય ક્રિયા છે.જેને નિહાળવી ગમે છે. [ image 165.jpg] આજથી, લગભગ બે મહિના પૂર્વેનો આ મારો અનુભવ છે.બોટાદ જિલ્લાના ધારપીપળા ગામમાં આવેલા ખેતરો તેમજ વાડીના વિસ્તારની બરાબર મધ્યમાંથી પસાર થતાં રસ્તા પરથી લીધેલો આ ફોટો છે. સૂર્યાસ્ત એ માત્ર થોડો જ સમય ચાલતી પ્રક્રિયા છે. સૂર્યાસ્ત થવાની શરૂઆત થતાં જ સમગ્ર આકાશનો રંગ પરિવર્તિત થઈને લાલાશ પડતો પીળો થઈ ગયો હતો.શરૂઆત માં સૂર્ય સંપૂર્ણ દેખાતો હતો. ત્યારબાદ ધીમે-ધીમે જેમ સમય ચઢતો ગય...
અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’ --- પ્રો.બાલન અને ડો.રાયડુ સફળ પ્રત્યાયનના સાત સિધ્ધાંત તરીકે Credibility (વિશ્ર્વસનીયતા),Context (સંદર્ભ),Content (કથન),Clarity (સ્પષ્ટતા),Continuity& Consistency (સાતત્ય), Channels (માધ્યમો),Capability of Audience (પ્રેક્ષક ની ક્ષમતા) જરૂરી હોવાનુ માને છે. 1: Credibility (વિશ્ર્વસનીયતા) – પ્રત્યાયન નો પ્રારંભ થાય છે.પ્રત્યાયક પ્રત્યે વિશ્ર્વાસના વાતાવરણમાં જે પણ સંદેશો મેળવનાર હોય તેને સંદેશો આપનાર પ્રત્યે વિશ્ર્વાસ હોય તો પ્રત્યાયન વધુ સરળ બની શકે છે, આથી પ્રત્યાયન કર્તા એ એવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ કે જેમાં સંદેશો યોગ્ય રીતે ઝીલાય,ઉચિત રીતે અર્થઘટન થાય, અને સંદેશો સ્વીકાર્ય પામે. પ્રત્યાયન માં વિશ્ર્વાસ હોવો એ અસરકારક વાત છે.સંદેશો એવો હોવો જોઈએ જે સંદેશો મેળવનાર વ્યકિત સમજી શકે.ઉપરાંત પ્રત્યાયકે જે કહેવું છે તે સંદેશો મેળવનારને સમજણ પડે એવું હોવું જોઈએ. 2: Context (સંદર્ભ) – કોઈપણ પ્...
Comments
Post a Comment